Sunday, 12 July 2026
Friday, 26 June 2026
ધોરણ 6 કુતૂહલ (વિજ્ઞાન) ક્ષમતાની યાદી
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
ધોરણ-6 થી 8 કૃતુહલ (વિજ્ઞાન) કરિક્યુલમ ગોલ્સ(અભ્યાસક્રમના ધ્યેયો) - ક્ષમતાની યાદી
ધોરણ 6 કુતૂહલ (વિજ્ઞાન)
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG) - 1 દ્રવ્યની દુનિયા અને તેના ઘટકો, ગુણધર્મો અને વર્તણૂક અંગે શોધખોળ કરે છે.
ક્ષમતા (C) - 1.1 અવલોકનક્ષમ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનાં આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરે છે. (ભૌતિક ગુણધર્મો, ઘન, પ્રવાહી, વાયુ આકાર, કાળ, ધનતા, પારદર્શક, અપારદર્શક, ચુંબકીય,બિનથુબકીય, વાહક, અવાકક) (રસાયણિક ગુણાધર્મો- શુદ્ધ, બશુદ્ધ, એસિડ, બેઈઝ, ધાતુ, અધાતુ તત્વ, સંયોજન)
ક્ષમતા (C)-1.2 દ્રવ્યમાં થતા ભૌતિક અને રાસાયણિક ફેરફાર નું વર્ણન કરે છે અને દ્રવાના ગુણાધર્મો અને ફેરફારોને રજૂ કરવા માટે કણ પ્રકૃતિનો ઉપયોગ કરે છે.
ક્ષમતા (C)-1.3: માપનનું મહત્વ સમજાવે છે, અને સરળ સાધનોનો ઉપયોગ વડે દ્રવ્યના ભૌતિક ગુણાધર્મોનું માપન સ્થાનિક, અપ્રમાણભૂત એકમોમાં કરે છે. (કદ, વજન, તાપમાન, ઘનતા વગેરે)
ક્ષમતા (C)-1.4: દબાણ, તાપમાન અને ઘનતાના તફાવતને કારણે થતી ઘટનાઓ નું અવલોકન કરે છે અને સમજાવે છે. (દા.ત. શ્વાસોચ્છવાસ, ડૂબવું-તરવું, વરોમાં વોટર પંપ, વસ્તુઓનું ઠંડું થવું, પવનનું ઉત્પત્તિ)
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-2 ભૌતિક વિશ્વને સમજવા વૈજ્ઞાનિક અને ગાણિતિક પરિભાષાનો ઉપયોગ કરે છે.
ક્ષમતા (C)-2.1 ભૌતિક રાશિઓ (સ્થાન, અંતર, સમય - ઝડપ અને ઝડપમાં ફેરફાર) નો ઉપયોગ કરીને ગાણિતિક અને રેખાકૃતિ દ્વારા એક-પરિમાણીય ગતિ (નિયમિત, અનિયમિત, ક્ષિતિજ સમાંતર, શિરોલંબા નું વર્ણન કરે છે.
ક્ષમતા (C)-22: સરળ પરિપથોમાં વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા વીજળી કેવી રીતે કામ કરે છે તેનું વર્ણન કરે છે, અને વીજળીની ઉષ્મીય અને ચુંબકીય અસરો દર્શાવે છે.
ક્ષમતા (C)-23: ચુંબકના ગુણધર્મોનું વર્ણન કરે છે. (કુદરતી અને કૃત્રિમ ચુંબક, પૃથ્વી- એક ચુંબક તરીકે)
ક્ષમતા (C)-2.4: પ્રકાશના વિવિધ સ્ત્રોતો માંથી પ્રકાશનું સુરેખ પ્રસરણનું નિદર્શન કરે છે, અને પ્રકાશના સ્ત્રોત અને વસ્તુઓના ફેરફાર દ્વારા તથા સાધનોના ઉપયોગ દ્વારા પરાવર્તનના નિયમો ચકાસે છે. (દાત. કુદરતી, કૃત્રિમ, પરાવર્તક સપાટીઓ) (સાધનો: સમતલ અને વક્ર અરીસા, પિનકોલ કેમેરા, કેલિડોસ્કોપ, પેરિસ્કોપ)
ક્ષમતા (C)-2.5 સાદા ટેલીરકોપ અને ફોટોગ્રાફસનાં ઉપયોગથી રાત્રિ આકાશના અવકાશીય પદાર્થોનું અવલોકન કરે અને ઓળખે છે. દિશા નક્કી કરવામાં કેલેન્ડર રચનામાં અને અન્ય ઘટનાઓમાં તેમની ભૂમિકા સમજાવે છે.
અવકાશીય પદાર્થો: તારા, ગ્રહો, કુદરતી અને કુત્રિમ ઉપગ્રહો, નક્ષત્રો, ઘૂમહેતુઓ) (ઘટનાઓ : ચંદ્રની કળાઓ, ગ્રહણ, પૃથ્વી ઉપર જીવના અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-): વૈજ્ઞાનિક પરિભાષાની મદદથી સજીવ સૃષ્ટિ વિષે શોધખોળ (explore) કરે છે.
ક્ષમતા (C)-3.1: નૈસર્ગિક વાતાવરણમાં જોવા મળતી સજીવોની સહિતના સજીવોનાં વૈવિધ્યને વર્ણવે છે.(સજીવોમાં વૈવિધ્ય કીટકો, બળસિયું, ગોકળગાય, પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરિસૃપ, કરોળિયા, વિવિધ વનસ્પતિ અને ફૂગ)
ક્ષમતા (C)-3.2: લાક્ષણીકતાઓના આધારે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ પારખે છે. (લાક્ષણીકતાઓ: પોષણની જરૂરિયાત, વૃદ્ધિ અને વિકાસ, શ્વસનની જરૂરિયાત, સંવેદના, પ્રજનન, ઉત્સર્જન, કોષીય સંરચના
ક્ષમતા (C)-૩૩: સજીવો અને વાતાવરણ વચ્ચેના સંબંધોની તરાહનું વિશ્લેષણ તેમની વચ્ચેના અવલંબન અને પ્રતિચારના સંદર્ભમાં કરે છે.
ક્ષમતા (C)-3.4: અનુકુળ પરિસ્થિતિઓ સમજાવે છે (વાતાવરણ, અનુકુળ તાપમાન, દબાણ, પ્રકાશ, પાણીના ગુણધર્મો)
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-4: આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીના ઘટકોને સમજે છે.
ક્ષમતા (C)-4.1: ખોરક રાંધવાની ભારતીય પદ્ધતિઓ અને પોષણની આધુનિક સમાજના આધારે ખોરાકના ઘટકોનું પોષણ આધારિત વિશ્લેષણ હાથ ઘરે છે, અને સ્વાસ્થ્ય ઉપર પોષણાની અસર સમજાવે છે.
ક્ષમતા (C)-4.2: ખોરાકનાં વૈવિધ્યના જુદાં જુદાં પરિમાણોને તપાસે છે. (પરિમાણો: સ્ત્રોત, પોષકતત્વો. આબોહવાની પરિસ્થિતિઓ, આકાર)
ક્ષમતા (C)-4.3: તરુણાવસ્થા દરમિયાન થતા જૈવિક ફેરફારો નું વર્ણન કરે છે. અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલા લે છે (જૈવિક ફેરફારો: વૃદ્ધિ, અંત:સ્ત્રાવ સંબંધિત)
ક્ષમતા (C)-4.4: નશાકારક પદાર્થને ઓળખે છે અને તેની ચર્ચા કરે છે. તેમજ આ અંગેની તેમની ચિંતાના સમાધાન માટે શાળાને સલામત સ્થળ તરીકે જુએ છે.
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-5: વિજ્ઞાન, ટેકક્નોલોજી અને સમાજ વચ્ચેના આંતરજોડાણને સમજે છે.
ક્ષમતા (C)-5.1: વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનની ગુણાવત્તા સુધારવામાં કેવી રીતે મદદ કરી શકે ચે તેમજ ઇતિહાસમા થયેલ વિજ્ઞાનના કેટલાક હાનિકારક ઉપયોગનાં ઉદાહરણ આપે છે (માનવ જીવનની ગુણવત્તા, આરોગ્ય, સંદેશાવ્યવહાર, પરિવહન, ખાદ્ય-સુરક્ષા, જળવાયુ પરિવર્તન ઘટાડવું, સંસાધનોનો વિવેકપૂર્ણ વપરાશ, કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ)
ક્ષમતા (C)-5.2: વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજનાં એકબીજા પર પડેલા પ્રભાવ સંબંધિત સમાચાર અને લેખો પર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે.
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-6: વૈજ્ઞાનિક જ્ઞાનની ઉત્ક્રાંતિ (વિકાસ) અને વૈજ્ઞાનિક પૃચ્છા કરવા થકી વિજ્ઞાનના સ્વરૂપ અને પ્રક્રિયાઓની શોધખોળ (explore) કરે છે.
ક્ષમતા (C)-6.1: સમય જતા વૈજ્ઞાનિક જ્ઞાન અને વિચારો કેવી રીતે બદલાયા તેનું ઉદાહરણ આપે અને વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉત્ક્રાંતિ દરમિયાન મૂળભૂત અને સામાન્ય રહ્યા હોય તેવા વૈજ્ઞાનિક મુલ્યોને ઓળખે છે (વૈજ્ઞાનિક જ્ઞાન અને વિચારો: વસ્તુઓ અને ગ્રહોની ગતિનું વર્ષાન, જીવનની સ્વયંભુ ઉત્પત્તિ, ગ્રહોની સંખ્યા) (વૈજ્ઞાનિક મુલ્યો: વૈજ્ઞાનિક મિજાજ, સામુદાયિક પ્રયાસ તરીકે વિજ્ઞાન જેવ-વૈવિધ્ય અને નિવસનતંત્રોનું સંરક્ષણ
ક્ષમતા (C)-6.2 વૈજ્ઞજ્ઞાનિક પરિભાષાનો ઉપયોગ કરીને પ્રશ્નો રચે અને પુરાવા તરીકે માહિતી એકત્રિત કરે છે (વૈજ્ઞાનિક પરિભાષા: કોઈ ઘટના, તરાહ અથવા વસ્તુના વર્તન માટેના સંભવિત કારણો ઓળખવા માટે) (માહિતી એકત્રિકરણ: કુદરતી વાતાવરણનું અવલોકન, સરળ પ્રયોગની રચના અથવા સરળ વૈજ્ઞાનિક ઉપકરણોનાં ઉપયોગ થકી)
અભ્યાસક્રમનું લક્ષ્ય (CG)-7: વિજ્ઞાન સંબંધિત પોતાના પ્રશ્નો, અવલોકનો અને તારણોનું આદાન-પ્રદાન કરે છે.
ક્ષમતા (C)-7.1: મૌખિક, લેખિત અને દ્રશ્યાત્મક રજૂઆત દ્વારા વિજ્ઞાનનું સચોટ રીતે આદાન-પ્રદાન કરવા માટે વૈજ્ઞાનિક શબ્દભંડોળનો ઉપયોગ કરે છે.
ક્ષમતા (C)-7.2: વૈજ્ઞાનિક ખ્યાલોને નિદર્શન માટે સરળ નમુના બનાવવાની યોજના તૈયાર કરે છે અને તેનું નિર્માણ કરે છે. |C-73 આકૃતિઓ અને સરળ ગાણિતિક રજૂઆતો દ્વારા વાસ્તવિક વિશ્વની ઘટનાઓ અને સંબંધોને રજૂ કરે છે.
Sunday, 14 June 2026
વિવિધ પ્રકારની રજાઓની સમજ
- હક તરીકે રજાની માંગણી કરી શકાય નહી.
- એક સાથે પાંચ સી.એલ.રજા સુધી શાળાના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- સી.એલ.રજા પર જતા પહેલા સી.એલ. રજા રીપોર્ટ કાર્ડ ભરી રજા મંજુર કરાવવાની રહેશે.જેમાં જેમાં વર્ગ/શાળા નો ચાર્જ સોપવાનો રહેશે.
- સી.એલ.રજાની આગળ અથવા પાછળ કે વચ્ચે રવિવાર કે જાહેર રજા જોડી શકાશે.જાહેર રજા સહીત સાત દિવસો કરતા વધુ સી.એલ.રજા ભોગવી શકાય નહિ.
- અસાધારણ સંજોગોમાં સાત કરતા વધુ રજા લંબાવવી પડે તો વધારાની ત્રણ સહીત કુલ ૧૦ રજા શાસનાધીકારીશ્રી દ્વારા મંજુર કરી શકશે.
- સ્ટાફના ૧/૨ કરતા ઓછા શિક્ષકો હાજર ન રહે તે બાબતની ખાત્રી કરી મુખ્યશિક્ષક રજા મંજુર કરી શકશે.શાળાના શૈક્ષણિક કાર્યને કોઈ અસર ન થાય તે રીતે જ સી.એલ.રજા મંજુર કરવી.
- સી.એલ.રજા વેકેશનની આગળ અથવા પાછળ મુખ્યશિક્ષકની મંજુરી સાથે જોડી શકાશે.
- સી.એલ.રજાઓને વળતર રજા અને મરજિયાત રજા સિવાય અન્ય રજાઓ સાથે જોડી શકાય નહિ.
- મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
- સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ મરજિયાત રજાની યાદીમાંથી કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ વર્ષમાં બે રજા ભોગવી શકે.
- આ રજાને સી.એલ.અને વળતર સિવાય અન્ય રજા સાથે જોડી શકાય નહિ.
- જાહેર રજા કે રવિવારની આગળ કે પાછળ જોડવામાં કોઈ હરકત નથી.
- મરજિયાત રજા જે તે શૈક્ષણિક વર્ષ ( જુન થી મે) દરમ્યાન ભોગવવાની રહેશે.
- મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
- માન્ય જાહેર રજાના દિવસે સરકારી કામ અંગે હાજરી આપવાના કિસ્સામાં આવી રજા ન ભોગવી શક્યા બદલ જે તે શિક્ષકો/કર્મચારીઓને વળતર રજા મળવાપાત્ર છે.
- કોઈપણ રજા દરમ્યાન આખા દિવસના ૩.૧/૨ (સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પણ બે કલાકથી ઓછી નહિ તેટલી હાજરી આપવાના કિસ્સામાં અડધા દિવસની વળતર રજા મળી શકે.) તે સમયથી વધારે એટલે કે પાંચ કલાકથી ઓછો હોવો જોઈએ નહિ તેવા સમયની હાજરી માટે આખા દિવસની વળતર રજા મળી શકે.
- એકી સાથે ફક્ત એક જ વળતર રજા મંજુર કરી શકાશે.
- વળતર રજા જે તે કેલેન્ડર વર્ષમાં લેણી હોય તે જ વર્ષમાં ભોગવી શકાશે.કેલેન્ડર વર્ષ પૂરું થતા બાકી રહેલી વળતર રજા આપોઆપ વિલય (લેપ્સ) થશે.
- વળતર રજાને પરચુરણ રજા કે અન્ય જાહેર રજાઓ સાથે આગળ કે પાછળ જોડી શકાશે.
- વળતર રજા મંજુર કરતા પહેલા અધિકૃત અધિકારીશ્રીઓના દાખલા કે પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના દિવસે ૧૦ દિવસની ગણતરીએ કુલ ૧ વર્ષની ૨૦ અર્ધપગારી રજાઓ જમા થાય છે.
- વર્ષની અધવચ્ચે નિમણુંક આપતા કે નિવૃત થનાર માટે દર પુરા માસે ૫/૩ લેખે અર્ધપગારી રજા જમા લેવાની રહેશે અને નજીકના પુરા દિવસમાં ગણતરી કરવાની રહેશે.
- આ રજાઓ ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ રદ થતી નથી.
- એકી સાથે ૯૦ દિવસ સુધીની મર્યાદામાં રજા મંજુર કરી શકાશે.
- આ રજા ખાનગી કામે કે દાકતરી પ્રમાણપત્રના આધારે એમ બંને રીતે ભોગવી શકાય છે.
- મુખ્યશિક્ષકશ્રીએ તે જ માસમાં કે પછી ના તરત ના માસમાં પગારબીલે અર્ધપગારી રજાની રીકવરી કરવાની રહેશે.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- આ પ્રકારની રજાની જોગવાઈથી કર્મચારી અર્ધપગારી રજાના બદલે પુરા પગારી રજા મેળવી શકે છે.
- રૂપાંતરિત રજાની સંખ્યા સામે બેવડી અર્ધપગારી રજા સિલકમાંથી ઉધારવાની રહેશે. દા.ત.- ૧૦ રૂપાંતરિત રજા ભોગવતા ખાતામાંથી ૨૦ અર્ધપગારી રજા બાદ થાય.
- આ રજા દાક્તરી પ્રમાણપત્રના આધારે મળે છે.જેમાં કર્મચારીની પોતાની તથા કર્મચારી ઉપર આધારિત હોય તેવા કુંટુંબના સભ્યની બીમારી માટે પણ રૂપાંતરિત રજા મળે છે.તબીબી સારવારના હેતુ માટે જે કુટુંબની વ્યાખ્યા છે તે જ વ્યાખ્યા ગણવામાં આવે છે.
- આખી નોકરી દરમ્યાન ૯૦ દિવસથી વધારે નહિ તેટલી રૂપાંતરિત રજાઓ પૂર્ણત: સમયના કે અશંત:સમયના માન્ય અભ્યાસક્રમ માટે પણ આપી શકાશે.પણ આ અભ્યાસક્રમ જાહેર હિતમાં છે તેવું પ્રમાણિત કરવાનું રહેશે.
- આગળ કે પાછળ જોડવા દેવામાં આવેલ જાહેર રજાના દિવસો સહિત મંજુર કરેલ લઘુતમ રૂપાંતરિત રજાની મુદત દરેક પ્રસંગે સાત દિવસ કરતા ઓછી ન હોવી જોઈએ.કોઈ કિસ્સામાં સાત દિવસની સંપૂર્ણ મુદતની રજા મળવાપાત્ર ન હોય અને સાત દિવસ કરતા ઓછા સમયની આવશ્યકતા તબીબી અધિકારીએ પ્રમાણિત કરેલી હોય, તો રજા મંજુર કરનાર સત્તાધિકારી પોતાના સ્વવિવેકાનુસાર તેનાથી ઓછા સમય માટેની રજા પણ મંજુર કરી શકશે.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- વેકેશનમાં કરેલી કામગીરીના બદલામાં પ્રાપ્ત રજા મળે છે.
- પ્રાપ્ત રજા અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ ૩(ત્રણ) વખત ભોગવી શકાશે.
- જો કોઈ ચોક્કસ કિસ્સામાં, પુરા સાત દિવસની રજા મળવાપાત્ર ન હોય, તો રજા મંજુર કરનાર સત્તાધિકારી તેની વિવેકબુદ્ધિ હેઠળ સાતથી ઓછા ત્રણ દિવસની રજા મંજુર કરી શકશે.
- દરેક પ્રસંગે મંજુર કરવામાં આવતી પ્રાપ્ત રજાનો ગાળો, રજાની આગળ કે પાછળ જોડાવાની પરવાનગી આપવામાં આવતા જાહેર રજાઓના દિવસો સહીત સાત દિવસથી ઓછો ન હોવો જોઈએ.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- બે જીવિત સંતાનો સુધી સ્ત્રી કર્મચારીને ૧૮૦ દિવસની પ્રસુતિ રજા મળવાપાત્ર છે.
- ૧ વર્ષથી ઓછી નોકરી માટે બિનપગારી,૧ વર્ષ કરતા વધુ પરંતુ ર વર્ષ કરતા ઓછી નોકરી હોય હોય તો અર્ધપગારી,અને ૨ વર્ષ કરતા વધુ નોકરી હોય તો પુરા પગારી રજા મળવાપાત્ર છે.
- સર્વિસબુકમાં પ્રસુતિ રજાની નોંધ કરવાની રહેશે.
- સ્ત્રી વિદ્યાસહાયકોને પુરા પગારમાં સમાવતી વખતે તેઓને મળેલ પ્રસુતિ રજાઓનો ગાળો ધ્યાને લેવાનો રહેશે નહિ.
- જો મહિલા કર્મચારી ઈચ્છે તો પ્રસુતિની રજા સાથે રૂપાંતરિત રજા સહીત અન્ય લેણી રજા જોડાવાની પરવાનગી આપવામાં આવશે.અને પ્રસુતિની રજાનાં અનુસંધાનમાં અધિકતમ સાઠ દિવસ સુધીની રજા, તબીબી પ્રમાણપત્ર રજુ કર્યા સિવાય મંજુર કરી શકાશે.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- બે જીવિત સંતાનો સુધી પુરુષ કર્મચારીને ૧૫ દિવસની પિતૃત્વ રજા મળે છે.
- આ રજા પ્રસુતિ રજા દરમ્યાન જ મળે છે.માતા અને બાળકની દેખરેખ રાખવા માટે આ રજા મળે છે.
- આ રજાને અન્ય રજા સાથે જોડી શકાશે.
- કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
- બે બાળકો સુધી સમગ્ર નોકરી દરમ્યાન કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં ૪૫ દિવસ કરતા વધુ નહિ તેટલી પ્રસુતિ રજા મળવાપાત્ર થશે.
- મહિલા કર્મચારીને એક જ બાળક હોય અથવા બાળક ના હોય અને અરજીના સમર્થનમાં તબીબી પ્રમાણપત્ર સામેલ કર્યું હોય તો તેને ગર્ભપાત (એમ.ટી.પી.) ના કિસ્સા માટે સાત કામકાજના દિવસો કરતા વધુ નહિ તેટલી પ્રસુતિ રજા મંજુર કરી શકાશે.
- ગર્ભપાત (એમ.ટી.પી.) ના કિસ્સામાં, પ્રસુતિ રજા પાંચ વર્ષમાં ફક્ત એક જ વાર મંજુર કરી શકાશે.
Sunday, 3 May 2026
Saturday, 18 April 2026
ધોરણ 6 हिंदी દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન
જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર
દ્વિતીય સત્રાંત પરીક્ષા : ૨૦૨૬
વિષય - हिंदी તારીખ: 16-04-2026 વાર - ગુરુવાર
ધોરણ-6 કુલ ગુણ: ૮૦ સમય: ૮:૦૦ થી ૧૧:૦૦
__________________________________________________________________
1) धरती पर किसका बोझ है?
उत्तर: धरती पर पाप का बोझ है।
2) हमें किसके बारे में सोचना चाहिए?
उत्तर: हमें यह सोचना चाहिए कि हमने दूसरों को क्या दिया है, न कि यह कि हमें क्या मिला है।
3) 'जय जवान जय विज्ञान' का नारा किसने दिया था?
उत्तर: 'जय जवान, जय किसान' का नारा लाल बहादुर शास्त्री ने दिया था, जिसमें अटल बिहारी वाजपेयी ने 'जय विज्ञान' जोड़ा।
4) किस साधन की क्रांति आ गई है?
उत्तर: सूचना और संचार के साधनों (जैसे मोबाइल, कंप्यूटर) की क्रांति आ गई है।
5) वैज्ञानिक खोज की वजह से किसकी बचत होती है?
उत्तर: वैज्ञानिक खोजों की वजह से समय और शक्ति की बचत होती है।
यह एक सुंदर जंगल का दृश्य है।
चित्र में एक तालाब के किनारे चार मित्र रहते हैं।
मित्रों में एक हिरण, एक कौआ, एक चूहा और एक कछुआ है। [
एक दिन एक शिकारी जंगल में आता है और हिरण को अपने जाल में फँसा लेता है।
अपने मित्र को मुसीबत में देखकर बाकी तीनों मित्र उसे बचाने की योजना बनाते हैं।
चूहा अपने तेज दाँतों से जाल काट देता है।
कौआ आकाश से निगरानी रखता है कि शिकारी तो नहीं आ रहा।
अंत में, जब शिकारी आता है तब हिरण भाग जाता है, कौआ उड़ जाता है और चूहा बिल में छिप जाता है।
शिकारी खाली हाथ रह जाता है और कछुआ भी सुरक्षित निकल जाता है।
यह चित्र हमें संकट के समय एक-दूसरे की मदद करने की सीख देता है।
Monday, 13 April 2026
ધોરણ 7 ગુજરાતી દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન
જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર
દ્વિતીય સત્રાંત પરીક્ષા : ૨૦૨૬
વિષય - ગુજરાતી તારીખ: ૧૩-૦૪-૨૦૨૬ વાર - સોમવાર
ધોરણ-૭ કુલ ગુણ: ૮૦ સમય: ૮:૦૦ થી ૧૧:૦૦
_____________________________________________________________________
પ્ર. 1 આપેલ પ્રશ્નોના જવાબ લખો.
૨) તમારી આસપાસ કયા-કયા પંખીઓ જોવા મળે છે? તમને કયું પંખી સૌથી વધુ ગમે છે?
૩) તમારે પત્ર લખવાનો થાય તો કોને પત્ર લખવો ગમે અને કયા વિષય પર તમે પત્ર લખવાનું પસંદ કરશો?
જવાબ: મારે પત્ર લખવાનો થાય તો હું મારા મિત્રને પત્ર લખીશ. હું તેને વેકેશનમાં મારા ઘરે આવવાનું આમંત્રણ આપવા માટે પત્ર લખવાનું પસંદ કરીશ.
4) તમારી શાળામાં કોઈનું સન્માન કરવાનું હોય તો તમે કઈ-કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? કેવી-કેવી તૈયારીઓ કરશો?
જવાબ: સન્માન માટે અમે ફૂલહાર, શાલ, સ્મૃતિચિહ્ન અને શ્રીફળનો ઉપયોગ કરીશું. તૈયારીમાં સ્ટેજ શણગારવું, સ્વાગત ગીત તૈયાર કરવું અને મહેમાનનો પરિચય આપવા જેવી તૈયારીઓ કરીશું.
૫) તમને સૌથી વધુ કયું શાક ભાવે અને કયું શાક જરાય ભાવતું નથી? શા માટે?
જવાબ: મને બટાકાનું શાક સૌથી વધુ ભાવે છે કારણ કે તે સ્વાદિષ્ટ લાગે છે. મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે સ્વાદમાં કડવું હોય છે.
- ઓહ ! કેટલું સુંદર ઉપવન છે ! – ઉદગાર
- શું આજે મહેમાન આવવાના છે ? – પ્રશ્નાર્થ
- જા, બાજુની દુકાનમાંથી પેન્સિલ લઈ આવ. – આજ્ઞાર્થ
- પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી. – વિધ્યર્થ
- શાળાના બધા બાળકોને પ્રવાસમાં જવાની ઈચ્છા હતી. – ઈચ્છાર્થ
- યુધિષ્ઠિર કાયમ સત્ય જ બોલતા હતાં. – નિર્દેશાર્થ
- અમે કાલે સાઈકલ લઈને વાડીએ જઈશું.
- તેઓ ઘોડો લઈને આવ્યા હતા.
- છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો.
- અંધારામાં સોહમ આવતો હોય તેમ લાગ્યું.
- રાધાને પ્રવાસમાં જવાનું છે?
પ્રશ્ન-૮ આપેલ વિષય પર નિબંધ લેખન કરો.
ઉનાળાની બળબળતી બપોર
ભારતની મુખ્ય ત્રણ ઋતુઓમાં ઉનાળો એ આકરી ગરમીની ઋતુ છે. ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ખાસ કરીને બપોરનો સમય ખૂબ જ કષ્ટદાયક અને આકરો હોય છે. સુરજદાદા બપોરના સમયે જાણે આકાશમાંથી અગનગોળા ફેંકતા હોય તેવો અનુભવ થાય છે. આકાશમાંથી વરસતી ગરમીને કારણે ધરતી તપીને લાલચોળ બની જાય છે.
બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. લોકો ગરમી અને લૂથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ થઈને ઘટાદાર વૃક્ષોના છાંયે આશરો લે છે. ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ જાય છે, માત્ર વંટોળનો અવાજ અને ક્યારેક તમરાંનો અવાજ સંભળાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, પંખા અને કુલરનો સહારો લે છે. આ સમયે ઠંડા પીણાં, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને તરબૂચ જેવી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે.
ગામડાઓમાં બપોરના સમયે ખેડૂતો કામકાજ પરવારીને વૃક્ષની શીતળ છાયામાં આરામ કરે છે. વટેમાર્ગુઓ પરબ પર પાણી પીને પોતાની તરસ છિપાવે છે. જોકે ઉનાળાની બપોર અકળાવનારી હોય છે, પરંતુ તે માટલાના ઠંડા પાણી અને આંબાની કેરીના સ્વાદ માટે યાદગાર બની જાય છે. ખરેખર, ઉનાળાની બપોર એ કુદરતના એક રૌદ્ર સ્વરૂપની પ્રતીતિ કરાવે છે.
જો મોબાઈલ ન હોય તો...
આજના આધુનિક યુગમાં મોબાઈલ માનવીના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે. સવારથી રાત સુધી આપણે કોઈને કોઈ રીતે મોબાઈલ પર નિર્ભર છીએ. પરંતુ વિચાર કરો કે, જો અચાનક દુનિયામાંથી મોબાઈલ ગાયબ થઈ જાય તો?
જો મોબાઈલ ન હોય, તો કદાચ આપણું જીવન ફરીથી શાંત અને ધીમું બની જાય. અત્યારે આપણે સોશિયલ મીડિયા પર સેંકડો 'વર્ચ્યુઅલ' મિત્રો સાથે જોડાયેલા છીએ, પણ મોબાઈલ વગર આપણે પાડોશીઓ અને પરિવાર સાથે રૂબરૂ બેસીને વાતો કરતા થઈશું. લોકો પુસ્તકો વાંચવા તરફ પાછા વળશે અને કુદરતની નજીક જશે. ટપાલ લખવાનો અને તેને પોસ્ટ કરવાનો જૂનો આનંદ ફરી તાજો થશે.
બીજી તરફ, મોબાઈલ વગર મુશ્કેલીઓ પણ વધશે. તાત્કાલિક સંદેશા મોકલવા, ઓનલાઈન શિક્ષણ અને દૂર રહેતા સ્વજનોના અવાજ સાંભળવા અઘરા થઈ જશે. આમ, મોબાઈલ વગરની દુનિયા આપણને સાચી સામાજિકતા શીખવશે, પણ સાથે ગતિશીલતા થોડી ઓછી કરી દેશે. ખરેખર, મોબાઈલ વગરનું જીવન શિસ્ત અને શાંતિનું મિશ્રણ હશે.
ધોરણ ૮ ગુજરાતી દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન
જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર
તારીખ : 13-04-2026 વિષય : ગુજરાતી કુલ ગુણ -80
વાર : સોમવાર ધોરણ-8 સમય - 8:00 થી 11:00
_______________________________________________________________________________
(1) કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી?
સાચો જવાબ: (C) સમયનો આડેધડ ઉપયોગ કરનારને.
સમજૂતી: ફકરામાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે, તેને થાક અને નિષ્ફળતા મળે છે.
(2) કેવી વ્યક્તિ ધારે તે કરી શકે?
સાચો જવાબ: (C) જેની પાસે સમયની શક્તિ હોય તે.
સમજૂતી: ફકરા મુજબ, જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય છે અને આવી વ્યક્તિ ધારે તે કરી શકે છે.
(3) સમય વિશે શું ખોટું છે?
સાચો જવાબ: (D) સમય દરેકની રાહ જુએ છે.
સમજૂતી: સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી અને વીતેલો સમય ક્યારેય પાછો મળતો નથી.
(4) અવિચારી વ્યક્તિ સમયને વેડફી નાખે છે એટલે શું કરે છે?
સાચો જવાબ: (D) સમયનો દુરુપયોગ કરે છે.
સમજૂતી: સમયને વેડફવો એટલે કે તેનો યોગ્ય ઉપયોગ ન કરવો અથવા નકામો ખર્ચ કરવો.
(5) આપેલ ફકરાનો મુખ્ય વિચાર કયો છે?
સાચો જવાબ: (C) સમય એ જ સાચી મૂડી.
સમજૂતી: આખા ફકરામાં સમયના મહત્વ અને તેની બચતને મૂડી તરીકે દર્શાવવામાં આવી છે.
પ્રશ્નોના ઉત્તરો:
(1) તમાકુની જાહેરાતો આકર્ષક બનાવવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતામાં તે જીવલેણ છે. આ બે વચ્ચેના તફાવતને તમે કેવી રીતે જોશો ?
સાચો જવાબ: (A) કંપનીઓ માત્ર નફા માટે નુકસાનકારક વસ્તુને સારી બતાવે છે.
(2) સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ કેમ હોવો જોઈએ ?
સાચો જવાબ: (B) કારણ કે આસપાસના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
(3) જો તમારા કોઈ નજીકના મિત્રને તમાકુની આદત પડી ગઈ હોય, તો તમે એક જવાબદાર મિત્ર તરીકે પ્રથમ પગલું શું લેશો ?
સાચો જવાબ: (C) તેને તમાકુના જોખમો સમજાવી કોઈ વડીલ કે ડોક્ટરની મદદ લેવા પ્રેરશો.
(4) એક પરિવારમાં પિતા તમાકુ પાછળ દર મહિને 2000 રૂપિયા ખર્ચે છે. આ આર્થિક નુકસાનની બાળકના શિક્ષણ પર કેવી અસર પડી શકે ?
સાચો જવાબ: (B) શિક્ષણ માટે જરૂરી સાધનો કે ફી માટે પૈસાની તંગી પડી શકે છે.
( 5) તમાકુ મુક્ત સમાજ દેશના વિકાસમાં કેવી રીતે ફાળો આપી શકે ?
સાચો જવાબ : (A) લોકો વધુ કામ કરી શકશે અને બીમારી પાછળનો સરકારી ખર્ચ ઘટશે.
(6 ) નીચેનામાંથી કયું વિધાન 'તમાકુ નિષેધ'ના સાચા હેતુને સ્પષ્ટ કરે છે ?
સાચો જવાબ : (B) રોગમુક્ત અને તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવું.
પ્રશ્ન- ૨: નીચે આપેલા પ્રશ્નોના -બે વાક્યમાં ઉત્તર આપો
૧. તમારી કોઈ વસ્તુ શાળામાંથી ગાયબ થાય ત્યારે તમે શું કરશો?
જવાબ- હું વર્ગશિક્ષકને જાણ કરીશ અને વર્ગમાં તથા ખોવાયેલી વસ્તુઓના વિભાગમાં તપાસ કરીશ.
૨. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવાં કામ કરાવશો?
જવાબ - હું રોબોટ પાસે ઘરની સફાઈ, ભારે સામાન ઊંચકવો અથવા અઘરા ગણિતના કોયડા ઉકેલાવવા જેવા કામ કરાવીશ.
૩. તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ?
જવાબ - મને કૂતરો પાળવો ગમે છે, કારણ કે તે વફાદાર હોય છે અને ઘરની રખેવાળી કરે છે.
૧. નીચેનામાંથી અલંકાર શોધો:
જવાબ: (A)હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે .( આ પદ છે ,જ્યારે બીજા બધા કાવ્યની પંક્તિઓ છે.)
૨. 'જો જો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજપો _____' (યોગ્ય શબ્દ મૂકો):
જવાબ: (C) ઢોલ
૩. નીચેનામાંથી ઉપમા અલંકારવાળું વાક્ય શોધો:
જવાબ: (B) આ ટ્રેન વીજળી જેવી ઝડપી છે. ('જેવી' શબ્દ સરખામણી દર્શાવે છે)
૪. નીચેનામાંથી રુઢિપ્રયોગ ન હોય તે શોધો:
જવાબ: (D) સાધી ન શકાય તેવું . (કારણ કે તે શબ્દ સમૂહ છે . જયારે બીજા વિકલ્પો પ્રચલિત રુઢિપ્રયોગો છે)
૫. 'મનની પિતાજીની વાત ધ્યાનમાં લેતો નથી' (રુઢિપ્રયોગ શોધો):
જવાબ: (B) કાને લેવું (ધ્યાનમાં લેવું)
૬. 'મોં ચડાવવું' એટલે:
જવાબ: (A) રમતમાં હારતા જ વાસ્તવિક મોં ચડાવીને બેસી ગયો. (રિસાઈ જવું)
૭. પારકી મા જ કાન વીંધે -
જવાબ: (A)પોતાના લોકો જ હંમેશા કડક સજા કરે . (અથવા ક્યારેક કડક શિસ્ત દ્વારા જ સુધારો આવે છે તેવો અર્થ થાય)
૮. નીચેનામાંથી કહેવત શોધો:
જવાબ: (A) ઓડનું ચોડ થવું.
૯. 'ન બોલવામાં નવ ગુણ' કહેવતનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત:
જવાબ: (B) માગ્યા વગર માં પણ ન પીરસે ( ન બોલવામાં નવ ગુણ એટલે કે મૌન રહેવું ,જ્યારે માગ્યા વગર માં ન પીરસે એમાં બોલવું કે માગવું જરૂરી છે તેમ ઉલ્લેખ છે )
૨. જો વરસાદ આવશે તો પાક સારો થશે.
૩. દરિયામાં તોફાની પવન ફૂંકાયો તેથી નાવ હાલક-ડોલક થવા લાગી.
૪. જ્યારે વાવેતર બરાબર થશે ત્યારે પાક સારો થશે.
૫. હું ઘરે આવું પછી તમે ઘરેથી નીકળજો.
૧. રોબોટ વિશેની તમારી કલ્પના જણાવો .
૨. રામાયણ માં આવતા પાત્રોમાથી તમને કયું પાત્ર ગમે છે?શા માટે ?
૩. ખર્ચેલા પૈસા લેખે લાગે તેવું કયું કાર્ય કરશો ?
૪. આંબાવાડીમાં જઈને શું કરશો?:
૫. 'ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું':













