Saturday, 18 April 2026

ધોરણ 6 हिंदी દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન

 જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર  

દ્વિતીય સત્રાંત પરીક્ષા : ૨૦૨૬ 

  વિષય - हिंदी                          તારીખ: 16-04-2026                વાર - ગુરુવાર 

 ધોરણ-6                                            કુલ ગુણ: ૮૦                        સમય: ૮:૦૦ થી ૧૧:૦૦

__________________________________________________________________

प्रश्न-1 (A) निम्नलिखित प्रश्नोके उत्तर संक्षिप्त मे  उत्तर दिजिए (4)           4 अंक 
1) धरती पर किसका बोझ है?
उत्तर: धरती पर पाप का बोझ है। 

2) हमें किसके बारे में सोचना चाहिए?
उत्तर: हमें यह सोचना चाहिए कि हमने दूसरों को क्या दिया है, न कि यह कि हमें क्या मिला है। 
3) 'जय जवान जय विज्ञान' का नारा किसने दिया था?
उत्तर: 'जय जवान, जय किसान' का नारा लाल बहादुर शास्त्री ने दिया था, जिसमें अटल बिहारी वाजपेयी ने 'जय विज्ञान' जोड़ा। 

4) किस साधन की क्रांति आ गई है?
उत्तर: सूचना और संचार के साधनों (जैसे मोबाइल, कंप्यूटर) की क्रांति आ गई है। 

5) वैज्ञानिक खोज की वजह से किसकी बचत होती है?
उत्तर: वैज्ञानिक खोजों की वजह से समय और शक्ति की बचत होती है।
-‌‌------------------------------------------------------------------------------------------------------

प्रश्न-1 (B) प्रश्नोके उत्तर लिखिए ।

1) हम सभी को क्या बाँटना चाहते हैं? क्यों?
उत्तर: हम सभी को खुशियों के फूल बाँटना चाहते हैं, ताकि हर किसी का जीवन उपवन (बगीचे) की तरह सुंदर और सुखद बन सके। 

2) कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है? क्यों?
उत्तर: कविता में करुणा का जल बहाने की प्रार्थना की गई है ताकि हर व्यक्ति का मन पावन (शुद्ध) हो जाए। 

3) कंप्यूटर और इंटरनेट से हमें क्या लाभ हुए हैं?
उत्तर: कंप्यूटर से काम आसान और तेज हो गया है। इंटरनेट की मदद से दुनिया के किसी भी कोने की जानकारी पल भर में मिल जाती है और चैटिंग के जरिए हम अपनों से जुड़े रहते हैं।

4) तुम्हें विज्ञान का कौन-सा आविष्कार अच्छा लगता है? क्यों? 
उत्तर: मुझे मोबाइल फोन बहुत अच्छा लगता है क्योंकि इससे हम कभी भी और कहीं भी अपनों से बात कर सकते हैं और इंटरनेट का उपयोग भी कर सकते हैं।
-‌‌------------------------------------------------------------------------------------------------------
प्रश्न-2 (A) सही वाक्यांश चुनकर वाक्य फिर से लिखिए: 

1)  माँ के द्वारा सजा मिलने पर भी नेपोलियन खुश हुआ क्योंकि 
(D) सत्य के पथ पर चलने का फल मिला था। 

 2) गाँधी जी सभी से दान माँग रहे थे क्योंकि..... 
(C) आज़ादी  की लड़ाई लड़नी थी। 

3) अली ख्वाजा ने मोहरें तेल के घड़े में छुपाई क्योंकि 
(B) मोहरें सुरक्षित रहे और किसी को पता ना चले। 

4)  हसन ने तेलियों को बुलाया क्योंकि 
(D) तेल की जाँच करनी थी ताकि पता चले कि वह कितना पुराना है। 
-‌‌------------------------------------------------------------------------------------------------------
प्रश्न-2 (B) प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए: 


1)  नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? 
उत्तर: नेपोलियन सत्यवादी और साहसी था, जबकि उसकी बहन डरपोक थी और दंड से बचने के लिए झूठ का सहारा लेना चाहती थी।

2) हस्ताक्षर करने के बाद गाँधी जी ने क्या लिखा? 
उत्तर: हस्ताक्षर करने के बाद गाँधी जी ने लिखा - "तुम्हारे इन आभूषणों की तुलना में तुम्हारा त्याग ही सच्चा आभूषण है।"

3) वाजिद को कैसे पता चला कि बर्तन में मोहरें है? 
उत्तर: जब वाजिद घड़े से तेल निकाल रहा था, तब उसे सोने की मोहरों के टकराने की आवाज़ आई, जिससे उसे पता चला।

4) खलीफा ने हसन को अपने दरबार में क्यों बुलाया? 
उत्तर: खलीफा ने हसन को अली ख्वाजा और वाजिद के झगड़े का न्याय करने के लिए अपनी सूझ-बूझ दिखाने के लिए बुलाया।

5) देवेंद्र भिखारी को अस्पताल क्यों ले गया? 
उत्तर: भिखारी की टाँग में गहरा घाव था और उसे तुरंत इलाज की ज़रूरत थी, इसलिए मानवता के नाते देवेंद्र उसे अस्पताल ले गया।

-‌‌------------------------------------------------------------------------------------------------------

प्रश्न-3 निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए: 

1) सिर खुजलाना
अर्थ: कुछ समझ न आना।
वाक्य: गणित का कठिन सवाल देखकर छात्र अपना सिर खुजलाने लगे।

2) आईना बनाना 
अर्थ: बहुत साफ या स्वच्छ कर देना।
वाक्य: सफाई अभियान ने पूरे शहर को आईना बना दिया।

3) पैरों तले जमीन खिसक जाना
अर्थ: घबरा जाना या भारी सदमा लगना।
वाक्य: घड़े में मोहरें न देखकर अली ख्वाजा के पैरों तले जमीन खिसक गई। 

4) स्वर्ण-सवेरा  लाना
अर्थ: सुख-समृद्धि लाना।
वाक्य: युवाओं की मेहनत ही देश में स्वर्ण-सवेरा लाएगी।

-‌‌------------------------------------------------------------------------------------------------------
प्रश्न-4  दिए गए चित्र के आधार पर आठ से दस वाक्य लिखिए:

1) यह चित्र एक सुंदर समुद्र के किनारे का है।
2) चित्र में एक बडी नाव पानी मे तैरती दिख रही है ।
3) आकाश में पक्षी उड़ रहे हैं, जो प्राकृतिक सुंदरता को बढ़ा रहे हैं।
4) समुद्र के किनारे नारीयल के कुछ ऊँचे पेड़ दिख  हैं।
5) किनारे पर छोटे बच्चे रेत मे खेल रहे हैं।
6) यहाँ का वातावरण बहुत ही शांत है।
7) पानी के अंदर भी कुछ छोटी लहरें  दिखाई दे रही हैं।
8) कुछ लोग समुद्र्मे स्नान कर रहे है ।
9) कुछ लोग पिक्निक मना रहे है ।
10) एक मनमोहक प्राकृतिक दृश्य है ।

-‌‌------------------------------------------------------------------------------------------------------
प्रश्न-5 चित्र के आधार पर कहानी लिखिए ।
  1. यह एक सुंदर जंगल का दृश्य है।

  2. चित्र में एक तालाब के किनारे चार मित्र रहते हैं।

  3. मित्रों में एक हिरण, एक कौआ, एक चूहा और एक कछुआ है। [

  4. एक दिन एक शिकारी जंगल में आता है और हिरण को अपने जाल में फँसा लेता है।

  5. अपने मित्र को मुसीबत में देखकर बाकी तीनों मित्र उसे बचाने की योजना बनाते हैं।

  6. चूहा अपने तेज दाँतों से जाल काट देता है। 

  7. कौआ आकाश से निगरानी रखता है कि शिकारी तो नहीं आ रहा।

  8. अंत में, जब शिकारी आता है तब हिरण भाग जाता है, कौआ उड़ जाता है और चूहा बिल में छिप जाता है। 

  9. शिकारी खाली हाथ रह जाता है और कछुआ भी सुरक्षित निकल जाता है।

  10. यह चित्र हमें संकट के समय एक-दूसरे की मदद करने की सीख देता है।

-‌‌------------------------------------------------------------------------------------------------------ 

प्रश्न-6 दिए गए परिच्छेद का मातृभाषा (ગુજરાતી) में अनुवाद कीजिए: 

               થોડા દિવસો પછી અલી ખ્વાજા મક્કાની યાત્રાથી પાછો આવ્યો. ઘરમાં પોતાનો સામાન રાખીને તે સીધો વાજિદના ઘરે ગયો અને પોતાની યાત્રાની બધી વાતો કહી.  પછી તેલનો ઘડો લઈને તે ઘરે આવી ગયો. જ્યારે તેણે ઘડામાંથી તેલ કાઢીને જોયું તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તે માથું પકડીને બેસી ગયો, કારણ કે ઘડામાં એક પણ સોનાની મહોર નહોતી. તે વિચારવા લાગ્યો, હવે શું કરવું જોઈએ?
-‌‌------------------------------------------------------------------------------------------------------ 
प्रश्न-7 निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए: 

1) आंख-  आँखें
वाक्य: चोट लगने के कारण उसकी आँखें लाल हो गईं।


2) लड्का ‌‌- लड़के
वाक्य: मैदान में लड़के फुटबॉल खेल रहे हैं।

-‌‌------------------------------------------------------------------------------------------------------ 
प्रश्न-8 निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए: 

1) "दूर अज्ञान के हो अंधेरे, 
     तू हमें ज्ञान की रोशनी दे" 
    "हर बुराई से बचते रहे हम,
   जितनी भी दे भली जिंदगी दे;
 बैर हो ना किसी का किसी से, 
 भावना मन में बदले की होना।" 

भावार्थ: कवि ईश्वर से प्रार्थना करते हैं कि हे प्रभु! हमारे मन से अज्ञानता के अंधकार को दूर कर दो और हमें ज्ञान का प्रकाश प्रदान करो ताकि हम सही मार्ग पर चल सकें।
 हम हमेशा बुराइयों से दूर रहें और हमें जितनी भी लंबी आयु मिले, वह अच्छाई से भरी हो। हमारा किसी से कोई वैर-विरोध न हो और हमारे मन में कभी किसी से बदला लेने की भावना पैदा न हो।


2) "सुविधाओं का शुरू सिलसिला, 
विलासिता की खुशबू है, 
बचत समय की और शक्ति की, 
अब विकास का जादू है,
नये नये उपकरण बनाए-
नुतन अनुसंधान की 

भावार्थ: विज्ञान के नए आविष्कारों से सुख-सुविधाओं की शुरुआत हुई है जिससे जीवन ऐशो-आराम से भर गया है। इससे समय और मेहनत की बचत हो रही है और चारों ओर विकास का चमत्कार दिखाई दे रहा है।
-‌‌------------------------------------------------------------------------------------------------------ 
प्रश्न-9 निम्नलिखित शब्दों का समानार्थी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए: 


विश्वास - भरोसा
वाक्य: हमें खुद पर भरोसा होना चाहिए।

जंगल - वन
वाक्य: वन में कई जंगली जानवर रहते हैं।
-‌‌------------------------------------------------------------------------------------------------------ 

प्रश्न-10 निम्नलिखित कहावतों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए: 


1) आये थे हरि भजन को ओटन लगे कपास
अर्थ: मुख्य काम को छोड़कर निरर्थक काम में लग जाना।
वाक्य: राम शहर तो पढ़ने गया था, पर वहां जाकर वह फिल्में देखने लगा, इसी को कहते हैं - आये थे हरि भजन को ओटन लगे कपास।

2) आसमान से गिरा खजूर में अटका
अर्थ: एक मुसीबत से निकलकर दूसरी मुसीबत में फँसना।
वाक्य: चोरी के इल्जाम से छूटा ही था कि उस पर मारपीट का केस हो गया, यह तो वही बात हुई - आसमान से गिरा खजूर में अटका।

-‌‌------------------------------------------------------------------------------------------------------ 
प्रश्न-11 निम्नलिखित विषय पर निबंध लिखिए: 


1. वैज्ञानिक खोज - वरदान या अभिशाप

               आज का युग विज्ञान का युग है । हमारे जीवन का कोई भी कोना विज्ञान से अछूता नहीं है। सुबह जागने से लेकर रात को सोने तक हम विज्ञान के आविष्कारों से घिरे रहते हैं।
              विज्ञान ने मनुष्य के जीवन को बहुत सरल और सुखद बना दिया है। यातायात के साधनों जैसे बस, ट्रेन और हवाई जहाज ने दूरियों को खत्म कर दिया है । संचार के क्षेत्र में मोबाइल और इंटरनेट ने पूरी दुनिया को एक परिवार (ग्लोबल विलेज) बना दिया है । चिकित्सा के क्षेत्र में विज्ञान ने लाइलाज बीमारियों का इलाज खोजकर मनुष्य को लंबी आयु प्रदान की है। बिजली, पंखे, कंप्यूटर और अन्य घरेलू उपकरणों ने हमारी शक्ति और समय की बहुत बचत की है ।
             विज्ञान जहाँ सुख देता है, वहीं इसके गलत उपयोग से यह शाप भी बन सकता है। परमाणु बमों और आधुनिक हथियारों के निर्माण से पूरी मानवता के विनाश का खतरा पैदा हो गया है। मशीनों के बढ़ते उपयोग से प्रदूषण बढ़ रहा है और लोगों में आलस्य बढ़ता जा रहा है। मोबाइल और इंटरनेट का अत्यधिक उपयोग युवाओं को गुमराह भी कर रहा है।
            वास्तव में विज्ञान अपने आप में न तो वरदान है और न ही शाप। यह मनुष्य के उपयोग पर निर्भर करता है। यदि हम इसका उपयोग मानवता की भलाई के लिए करेंगे, तो यह वरदान साबित होगा, अन्यथा यह हमारे विनाश का कारण बन सकता है।

2. महात्मा गाँधी
               महात्मा गाँधी भारत के एक महान नेता और युगपुरुष थे । उन्हें हम प्यार से 'बापू' और 'राष्ट्रपिता' भी कहते हैं। उनका पूरा नाम मोहनदास करमचंद गाँधी था।
                गाँधी जी का जन्म 2 अक्टूबर, 1869 को गुजरात के पोरबंदर में हुआ था। उन्होंने अपनी शिक्षा पूरी करने के बाद देश की आजादी की लड़ाई में सक्रिय भूमिका निभाई । उन्होंने हमेशा सत्य और अहिंसा का मार्ग अपनाया। उनके नेतृत्व में असहयोग आंदोलन, सत्याग्रह और भारत छोड़ो आंदोलन जैसे कई महत्वपूर्ण अभियान चलाए गए। उन्होंने समाज से छुआछूत और बुराइयों को दूर करने के लिए भी काम किया।
              गाँधी जी का मानना था कि "सच्चा आभूषण सोने-चाँदी के गहने नहीं, बल्कि व्यक्ति का चरित्र और त्याग है" । वे सादा जीवन और उच्च विचार में विश्वास रखते थे। उन्होंने चरखा चलाकर स्वदेशी वस्तुओं को अपनाने का संदेश दिया। वे सभी धर्मों का सम्मान करते थे और शांति के दूत थे।
            गाँधी जी के विचारों ने न केवल भारत को आजादी दिलाई, बल्कि पूरी दुनिया को अहिंसा का पाठ पढ़ाया। 30 जनवरी, 1948 को उनकी मृत्यु हो गई, लेकिन उनके सिद्धांत आज भी हमें सही रास्ता दिखाते हैं। भारत हमेशा उनका ऋणी रहेगा।

Monday, 13 April 2026

ધોરણ 7 ગુજરાતી દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન


જિલ્લા શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર  

દ્વિતીય સત્રાંત પરીક્ષા : ૨૦૨૬ 

  વિષય - ગુજરાતી                          તારીખ: ૧૩-૦૪-૨૦૨૬                વાર - સોમવાર 

 ધોરણ-૭                                            કુલ ગુણ: ૮૦                        સમય: ૮:૦૦ થી ૧૧:૦૦

_____________________________________________________________________

પ્ર. 1 આપેલ પ્રશ્નોના જવાબ લખો.

૧) એવાં કયા-કયા ગીતો છે જે સાંભળીને તમને નાચવાનું મન થાય? તે તમને શા માટે ગમે છે?
જવાબ: મને ગુજરાતી ગરબા અને દેશભક્તિના ગીતો સાંભળીને નાચવાનું મન થાય છે. ગરબા આપણી સંસ્કૃતિનો ભાગ છે અને તેના લયબદ્ધ સૂર મનને ઉત્સાહથી ભરી દે છે.

૨) તમારી આસપાસ કયા-કયા પંખીઓ જોવા મળે છે? તમને કયું પંખી સૌથી વધુ ગમે છે?
જવાબ: મારી આસપાસ ચકલી, કબૂતર, પોપટ, કાગડો અને મોર જોવા મળે છે. મને 'મોર' સૌથી વધુ ગમે છે કારણ કે તેના રંગબેરંગી પીંછા અને તેનો ટહુકો મનમોહક હોય છે.

૩) તમારે પત્ર લખવાનો થાય તો કોને પત્ર લખવો ગમે અને કયા વિષય પર તમે પત્ર લખવાનું પસંદ કરશો?
જવાબ: મારે પત્ર લખવાનો થાય તો હું મારા મિત્રને પત્ર લખીશ. હું તેને વેકેશનમાં મારા ઘરે આવવાનું આમંત્રણ આપવા માટે પત્ર લખવાનું પસંદ કરીશ.

4) તમારી શાળામાં કોઈનું સન્માન કરવાનું હોય તો તમે કઈ-કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો? કેવી-કેવી તૈયારીઓ કરશો?
જવાબ: સન્માન માટે અમે ફૂલહાર, શાલ, સ્મૃતિચિહ્ન અને શ્રીફળનો ઉપયોગ કરીશું. તૈયારીમાં સ્ટેજ શણગારવું, સ્વાગત ગીત તૈયાર કરવું અને મહેમાનનો પરિચય આપવા જેવી તૈયારીઓ કરીશું.

૫) તમને સૌથી વધુ કયું શાક ભાવે અને કયું શાક જરાય ભાવતું નથી? શા માટે? 
જવાબ: મને બટાકાનું શાક સૌથી વધુ ભાવે છે કારણ કે તે સ્વાદિષ્ટ લાગે છે. મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે સ્વાદમાં કડવું હોય છે.

પ્ર. 2 આપેલ કાવ્યપંક્તિનો વિચાર-વિસ્તાર કરો. (કોઈ પણ એક)

(૧) આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં, દહાડા;
વિચાર કરતાં વિઘ્નો વચમાં, મોટાં આવે આડાં.

વિચાર-વિસ્તાર: આ પંક્તિઓમાં કવિ આળસનો ત્યાગ કરી સમયસર કામ પૂર્ણ કરવાનો બોધ આપે છે. જે લોકો 'આજે નહીં પણ કાલે કામ કરીશું' એમ કહીને કામ ટાળે છે, તેઓ ક્યારેય સફળ થઈ શકતા નથી. સમય જતાં પરિસ્થિતિ બદલાય છે અને કામમાં અનેક અણધાર્યા વિઘ્નો આવી શકે છે. માટે, જે કામ કરવાનું નક્કી કર્યું હોય તેને વિલંબ કર્યા વગર તરત જ પૂરું કરી દેવું જોઈએ.

(૨) બહુજન મળીને જે કરે, તે એકે નવ થાય;
સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય ?

વિચાર-વિસ્તાર: આ પંક્તિઓ દ્વારા સંઘશક્તિ અને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે કામ સમૂહમાં મળીને સરળતાથી થઈ શકે છે, તે કામ એક વ્યક્તિ એકલી કરી શકતી નથી. જેમ સાવરણીની બધી સળીઓ ભેગી મળીને આખું ઘર સાફ કરી શકે છે, પરંતુ એક સળીથી કચરો સાફ થઈ શકતો નથી. તેમ માનવીએ પણ હળીમળીને રહેવું જોઈએ.

પ્ર. 3 (અ) વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો.

જવાબ- 
અનન્યા – વ્યક્તિવાચક સંજ્ઞા

ઝૂમખું – સમૂહવાચક સંજ્ઞા

અહિંસામાં – ભાવવાચક સંજ્ઞા

સોનાના – દ્રવ્યવાચક સંજ્ઞા

દૂધ – દ્રવ્યવાચક સંજ્ઞા

પર્વત – જાતિવાચક સંજ્ઞા

(બ) નીચે આપેલા વાક્યના પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો.

  1. ઓહ ! કેટલું સુંદર ઉપવન છે ! – ઉદગાર
  2. શું આજે મહેમાન આવવાના છે ? – પ્રશ્નાર્થ
  3. જા, બાજુની દુકાનમાંથી પેન્સિલ લઈ આવ. – આજ્ઞાર્થ
  4. પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી. – વિધ્યર્થ
  5. શાળાના બધા બાળકોને પ્રવાસમાં જવાની ઈચ્છા હતી. – ઈચ્છાર્થ
  6. યુધિષ્ઠિર કાયમ સત્ય જ બોલતા હતાં. – નિર્દેશાર્થ

પ્ર. 4 (અ) રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ મૂકી યોગ્ય વાક્ય પરિવર્તન કરો.
 જવાબ:- 
  1. અમે કાલે સાઈકલ લઈને વાડીએ જઈશું.
  2. તેઓ ઘોડો લઈને આવ્યા હતા.
  3. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો.
  4. અંધારામાં સોહમ આવતો હોય તેમ લાગ્યું.
  5. રાધાને પ્રવાસમાં જવાનું છે?

(બ) આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

૧) ગિરિને ધારણ કરનાર – (C) ગિરિધર

૨) કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર – (B) સ્મૃતિ મંદિર

૩) પ્રવેશ માટેનું દ્વાર – (A) પ્રવેશ દ્વાર

4) મરણ પછીનું – (B) મરણોત્તર

૫) ભગવાન પર જળ રેડવું તે – (A) અભિષેક

પ્ર. 5 (અ) ભાવવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો.

જવાબ-૧  દયાની દ્રષ્ટી -દયા . (વાક્ય: આપણે પ્રાણીઓ પર દયા રાખવી જોઈએ.)

જવાબ-૨ ખૂબ આનંદ – આનંદ. (વાક્ય: પરીક્ષામાં પાસ થતા મને આનંદ થયો.)

જવાબ-૩ ઉત્સાહમાં – ઉત્સાહ. (વાક્ય: દિવાળીના તહેવારમાં બાળકોમાં ભારે ઉત્સાહ હોય છે.)

પ્ર. 6 (અ) ફકરાના આધારે પ્રશ્નોના જવાબ:

૧) જ્ઞાન માટે કયું વાક્ય સાચું છે? 
 જવાબ- (B) જ્ઞાનીને માન-પાન મળે છે.

૨) જ્ઞાન જેમ જેમ વાપરિયે તેમ તેમ _________
જવાબ- (D) વધતું જાય

૩) નિષ્ફળ ન રહી જવાય એ માટે શું જરૂરી છે? 
જવાબ-  (C) જ્ઞાન

4) સગુણી વ્યક્તિ _________
જવાબ- (D) ધીરજ બનાવી શકે છે.

શું લૂંટી ન શકાય ? 
જવાબ- (C) જ્ઞાન અને પૈસા (ફકરા મુજબ જ્ઞાન લૂંટી શકાતું નથી).

(બ) વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ:

૧) આ કથા આપણને શું શીખવે છે? 
જવાબ- (C) અનુભવથી જ સાચા મિત્રની પરખ થાય છે.

૨) બીજો મિત્ર કેમ ઝાડ પર નહીં ચડ્યો હોય? 
જવાબ- (B) તેને ઝાડ પર ચડતા નહીં આવડતું હોય.

૩) જો બીજો મિત્ર શ્વાસ રોકી શક્યો ન હોત તો? 
જવાબ- (A) તે રીંછનો ભોગ બની જાત.

4) રીંછને કેવી ગેરસમજ થઈ? 
જવાબ- (D) આ માણસ મરી ગયો છે.

૫) મુશ્કેલીના સમયમાં શું કરવું જોઈએ? 
જવાબ - (B) ધીરજપૂર્વક અને બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ.

પ્ર. 7 (અ) પ્રાકૃતિક દ્રશ્યનું વર્ણન ૮ થી 10 વાક્યમાં કરો. 

          મેં જોયેલું સૌથી સુંદર પ્રાકૃતિક દ્રશ્ય એક ગિરિમથકની સવારનું છે. પહાડોની પાછળથી જ્યારે સૂર્ય ધીમે ધીમે ઊગી રહ્યો હતો, ત્યારે આખું આકાશ કેસરી અને સોનેરી રંગોથી રંગાઈ ગયું હતું. પર્વતોની ટોચ પર સફેદ વાદળો જાણે રૂના ઢગલા હોય તેમ તરતા દેખાતા હતા.
           ચારેબાજુ લીલાછમ વૃક્ષો અને ખીણોમાં પથરાયેલી હરિયાળી મનને શાંતિ આપતી હતી. ફૂલો પર પડેલા ઝાકળના બિંદુઓ સૂર્યપ્રકાશમાં મોતીની જેમ ચમકતા હતા. પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ ભરી રહ્યો હતો. દૂરથી વહેતા ઝરણાનો ખળખળ અવાજ સંગીત જેવો લાગતો હતો. પ્રકૃતિનું આવું શુદ્ધ અને નયનરમ્ય સ્વરૂપ જોઈને એવું લાગતું હતું જાણે હું કોઈ સ્વર્ગમાં આવી ગયો હોઉં. આ દ્રશ્ય આજે પણ મારી આંખો સામે જીવંત છે.   

(બ) શબ્દો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી ફકરો:
             "આપણી આસપાસનું વાતાવરણ જો શુદ્ધ હોય તો જ સ્વચ્છતા જળવાય છે. કહેવાય છે ને કે 'પહેલું સુખ તે જાતે નર્યા'. જો આપણે નિરોગી રહીશું તો જ ખુશહાલ જીવન જીવી શકીશું. આપણે ગંદકી દૂર કરવા માટે હાથ ધોઈને પાછળ પડવું પડશે, જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે."

પ્રશ્ન-૮ આપેલ વિષય પર નિબંધ લેખન કરો. 

ઉનાળાની બળબળતી બપોર

            ભારતની મુખ્ય ત્રણ ઋતુઓમાં ઉનાળો એ આકરી ગરમીની ઋતુ છે. ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ખાસ કરીને બપોરનો સમય ખૂબ જ કષ્ટદાયક અને આકરો હોય છે. સુરજદાદા બપોરના સમયે જાણે આકાશમાંથી અગનગોળા ફેંકતા હોય તેવો અનુભવ થાય છે. આકાશમાંથી વરસતી ગરમીને કારણે ધરતી તપીને લાલચોળ બની જાય છે.

             બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. લોકો ગરમી અને લૂથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ થઈને ઘટાદાર વૃક્ષોના છાંયે આશરો લે છે. ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ જાય છે, માત્ર વંટોળનો અવાજ અને ક્યારેક તમરાંનો અવાજ સંભળાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, પંખા અને કુલરનો સહારો લે છે. આ સમયે ઠંડા પીણાં, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને તરબૂચ જેવી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે.

            ગામડાઓમાં બપોરના સમયે ખેડૂતો કામકાજ પરવારીને વૃક્ષની શીતળ છાયામાં આરામ કરે છે. વટેમાર્ગુઓ પરબ પર પાણી પીને પોતાની તરસ છિપાવે છે. જોકે ઉનાળાની બપોર અકળાવનારી હોય છે, પરંતુ તે માટલાના ઠંડા પાણી અને આંબાની કેરીના સ્વાદ માટે યાદગાર બની જાય છે. ખરેખર, ઉનાળાની બપોર એ કુદરતના એક રૌદ્ર સ્વરૂપની પ્રતીતિ કરાવે છે.

જો મોબાઈલ ન હોય તો...

            આજના આધુનિક યુગમાં મોબાઈલ માનવીના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે. સવારથી રાત સુધી આપણે કોઈને કોઈ રીતે મોબાઈલ પર નિર્ભર છીએ. પરંતુ વિચાર કરો કે, જો અચાનક દુનિયામાંથી મોબાઈલ ગાયબ થઈ જાય તો?

           જો મોબાઈલ ન હોય, તો કદાચ આપણું જીવન ફરીથી શાંત અને ધીમું બની જાય. અત્યારે આપણે સોશિયલ મીડિયા પર સેંકડો 'વર્ચ્યુઅલ' મિત્રો સાથે જોડાયેલા છીએ, પણ મોબાઈલ વગર આપણે પાડોશીઓ અને પરિવાર સાથે રૂબરૂ બેસીને વાતો કરતા થઈશું. લોકો પુસ્તકો વાંચવા તરફ પાછા વળશે અને કુદરતની નજીક જશે. ટપાલ લખવાનો અને તેને પોસ્ટ કરવાનો જૂનો આનંદ ફરી તાજો થશે.

           બીજી તરફ, મોબાઈલ વગર મુશ્કેલીઓ પણ વધશે. તાત્કાલિક સંદેશા મોકલવા, ઓનલાઈન શિક્ષણ અને દૂર રહેતા સ્વજનોના અવાજ સાંભળવા અઘરા થઈ જશે. આમ, મોબાઈલ વગરની દુનિયા આપણને સાચી સામાજિકતા શીખવશે, પણ સાથે ગતિશીલતા થોડી ઓછી કરી દેશે. ખરેખર, મોબાઈલ વગરનું જીવન શિસ્ત અને શાંતિનું મિશ્રણ હશે.


ધોરણ ૮ ગુજરાતી દ્રિતીય સત્રાંત કસોટી ૨૦૨૬ નું સોલ્યુશન

 જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર

દ્વિતીય સત્રાંત પરીક્ષા : 2026

તારીખ : 13-04-2026                                 વિષય : ગુજરાતી                                    કુલ ગુણ -80

વાર : સોમવાર                                                ધોરણ-8                                    સમય - 8:00  થી  11:00
_______________________________________________________________________________

(પ્ર. 1 (અ) આપેલ ફકરાનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. 
                         સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે. પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ
તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેષડ અને અવિચારીપળે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે. બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી. તેને કશું જ વાપરતાં આવડતું નથી. જે તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એ પાછી શું ન કરી શકે? એ ધારે  તે કરી શકે. 

પ્રશ્નો :

(1) કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી?
સાચો જવાબ: (C) સમયનો આડેધડ ઉપયોગ કરનારને.

સમજૂતી: ફકરામાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે, તેને થાક અને નિષ્ફળતા મળે છે.

(2) કેવી વ્યક્તિ ધારે તે કરી શકે?
સાચો જવાબ: (C) જેની પાસે સમયની શક્તિ હોય તે.

સમજૂતી: ફકરા મુજબ, જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય છે અને આવી વ્યક્તિ ધારે તે કરી શકે છે.

(3) સમય વિશે શું ખોટું છે?
સાચો જવાબ: (D) સમય દરેકની રાહ જુએ છે.

સમજૂતી: સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી અને વીતેલો સમય ક્યારેય પાછો મળતો નથી.

(4) અવિચારી વ્યક્તિ સમયને વેડફી નાખે છે એટલે શું કરે છે?
સાચો જવાબ: (D) સમયનો દુરુપયોગ કરે છે.

સમજૂતી: સમયને વેડફવો એટલે કે તેનો યોગ્ય ઉપયોગ ન કરવો અથવા નકામો ખર્ચ કરવો.

(5) આપેલ ફકરાનો મુખ્ય વિચાર કયો છે?
સાચો જવાબ: (C) સમય એ જ સાચી મૂડી.

સમજૂતી: આખા ફકરામાં સમયના મહત્વ અને તેની બચતને મૂડી તરીકે દર્શાવવામાં આવી છે.

પ્રશ્ન -૧ (બ) આપેલા પોસ્તારનું વાંચન કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો 


પ્રશ્નોના ઉત્તરો:
(1) તમાકુની જાહેરાતો આકર્ષક બનાવવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતામાં તે જીવલેણ છે. આ બે વચ્ચેના તફાવતને તમે કેવી રીતે જોશો ?
સાચો જવાબ: (A) કંપનીઓ માત્ર નફા માટે નુકસાનકારક વસ્તુને સારી બતાવે છે.

(2) સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ કેમ હોવો જોઈએ ?
સાચો જવાબ: (B) કારણ કે આસપાસના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

(3) જો તમારા કોઈ નજીકના મિત્રને તમાકુની આદત પડી ગઈ હોય, તો તમે એક જવાબદાર મિત્ર તરીકે પ્રથમ પગલું શું લેશો ?
સાચો જવાબ: (C) તેને તમાકુના જોખમો સમજાવી કોઈ વડીલ કે ડોક્ટરની મદદ લેવા પ્રેરશો.

(4) એક પરિવારમાં પિતા તમાકુ પાછળ દર મહિને 2000 રૂપિયા ખર્ચે છે. આ આર્થિક નુકસાનની બાળકના શિક્ષણ પર કેવી અસર પડી શકે ?
સાચો જવાબ: (B) શિક્ષણ માટે જરૂરી સાધનો કે ફી માટે પૈસાની તંગી પડી શકે છે.

( 5) તમાકુ મુક્ત સમાજ દેશના વિકાસમાં કેવી રીતે ફાળો આપી શકે ?
સાચો જવાબ  : (A) લોકો વધુ કામ કરી શકશે અને બીમારી પાછળનો સરકારી ખર્ચ ઘટશે.

(6 ) નીચેનામાંથી કયું વિધાન 'તમાકુ નિષેધ'ના સાચા હેતુને સ્પષ્ટ કરે છે ?
સાચો જવાબ : (B) રોગમુક્ત અને તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવું.

પ્રશ્ન-  ૨: નીચે આપેલા પ્રશ્નોના -બે વાક્યમાં ઉત્તર આપો
૧. તમારી કોઈ વસ્તુ શાળામાંથી ગાયબ થાય ત્યારે તમે શું કરશો?
જવાબ- હું વર્ગશિક્ષકને જાણ કરીશ અને વર્ગમાં તથા ખોવાયેલી વસ્તુઓના વિભાગમાં તપાસ કરીશ.

૨. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવાં કામ કરાવશો?
જવાબ - હું રોબોટ પાસે ઘરની સફાઈ, ભારે સામાન ઊંચકવો અથવા અઘરા ગણિતના કોયડા ઉકેલાવવા જેવા કામ કરાવીશ.

૩. તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ?
જવાબ - મને કૂતરો પાળવો ગમે છે, કારણ કે તે વફાદાર હોય છે અને ઘરની રખેવાળી કરે છે.

(૩) તમને કૂતરું પાળવું ગમે? કેમ?
જવાબ: હા, મને કૂતરું પાળવું ગમે છે કારણ કે તે ખૂબ જ વફાદાર પ્રાણી છે અને આપણી તથા ઘરની રક્ષા કરે છે.
(૪) તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? એ જોવા કોની સાથે ગયાં હતાં?
જવાબ: મેં છેલ્લે 'બાહુબલી' ફિલ્મ જોઈ હતી અને તે જોવા હું મારા પરિવાર સાથે ગયો હતો.

(૫) તમને ચિંતાનો અનુભવ ક્યારે થાય છે?
જવાબ: જ્યારે પરીક્ષા નજીક હોય અથવા મારું કોઈ કામ સમયસર પૂરું ન થાય ત્યારે મને ચિંતાનો અનુભવ થાય છે.

(૬) તમે કાગળમાંથી હોડી સિવાય બીજી કઈ-કઈ વસ્તુઓ બનાવી શકો?
જવાબ: હું કાગળમાંથી હોડી સિવાય વિમાન, પંખો, ટોપી અને ફૂલ જેવી વસ્તુઓ બનાવી શકું છું.

(૭) સાંજના સમયે તમે શું કરો છો?
જવાબ: સાંજના સમયે હું મેદાનમાં મિત્રો સાથે રમવા જાઉં છું અથવા થોડીવાર ફરવા જાઉં છું.

(૮) તમને કયા સ્થળે રમવા જવું ગમે?
જવાબ: મને ખુલ્લા મેદાનમાં અથવા બગીચામાં રમવા જવું ગમે છે.

પ્રશ્ન  ૩: માગ્યા મુજબ જવાબ લખો 

૧. નીચેનામાંથી અલંકાર શોધો:
જવાબ: (A)હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે .( આ પદ છે ,જ્યારે બીજા બધા કાવ્યની પંક્તિઓ છે.) 

૨. 'જો જો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજપો _____' (યોગ્ય શબ્દ મૂકો):
જવાબ: (C) ઢોલ

૩. નીચેનામાંથી ઉપમા અલંકારવાળું વાક્ય શોધો:
જવાબ: (B) આ ટ્રેન વીજળી જેવી ઝડપી છે. ('જેવી' શબ્દ સરખામણી દર્શાવે છે)

૪. નીચેનામાંથી રુઢિપ્રયોગ ન હોય તે શોધો:
જવાબ: (D) સાધી ન શકાય તેવું . (કારણ કે તે શબ્દ  સમૂહ છે . જયારે બીજા  વિકલ્પો પ્રચલિત રુઢિપ્રયોગો છે)

૫. 'મનની પિતાજીની વાત ધ્યાનમાં લેતો નથી' (રુઢિપ્રયોગ શોધો):
જવાબ: (B) કાને લેવું (ધ્યાનમાં લેવું)

૬. 'મોં ચડાવવું' એટલે:
જવાબ: (A) રમતમાં હારતા જ વાસ્તવિક મોં ચડાવીને બેસી ગયો. (રિસાઈ જવું)

૭. પારકી મા જ કાન વીંધે -
જવાબ: (A)પોતાના લોકો જ હંમેશા કડક સજા કરે . (અથવા ક્યારેક કડક શિસ્ત દ્વારા જ સુધારો આવે છે તેવો અર્થ થાય)

૮. નીચેનામાંથી કહેવત શોધો:
જવાબ: (A) ઓડનું ચોડ થવું.

૯. 'ન બોલવામાં નવ ગુણ' કહેવતનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત:
જવાબ: (B) માગ્યા વગર માં પણ ન પીરસે ( ન બોલવામાં નવ ગુણ એટલે કે મૌન રહેવું ,જ્યારે માગ્યા વગર માં ન પીરસે એમાં બોલવું  કે માગવું જરૂરી છે તેમ ઉલ્લેખ છે ) 

પ્રશ્ન -4 (અ) કોષ્ટક માં  આપેલ વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડી વાક્ય બનાવો 
સાચા જવાબ - 
૧. તેણે ખૂબ મહેનત કરી અને સારું પરિણામ મેળવ્યું.
૨. જો વરસાદ આવશે તો પાક સારો થશે.
૩. દરિયામાં તોફાની પવન ફૂંકાયો તેથી નાવ હાલક-ડોલક થવા લાગી.
૪. જ્યારે વાવેતર બરાબર થશે ત્યારે પાક સારો થશે.
૫. હું ઘરે આવું પછી તમે ઘરેથી નીકળજો.

(બ) માગ્યા મુજબ જવાબ લાખો ( શબ્દ સમૂહ માટે એક શબ્દ) 
(1) (જાદુના ખેલમાં) કરવામાં આવતી હાથની ચાલાકી: હાથચાલાકી
(2) સાધી ન શકાય તેવું: અસાધ્ય
(3) પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ: પિતૃતુલ્ય
(4) તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન: ઢાલ
(5) જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ: જીવનસંગ્રામ

પ્રશ્ન 5 (અ) આપેલ પાત્ર ,ઘટના અને વિચાર સંબંધિત તમારા ગમા અંગમાં અને અભિપ્રાયો જણાવો :
૧. રોબોટ વિશેની તમારી કલ્પના જણાવો .
જવાબ-  રોબોટ એક યંત્રમાનવ છે જે માણસ જેવા કામો ઝડપથી અને ભૂલ વગર કરી શકે. તે ઘરકામમાં કે ફેક્ટરીમાં મદદરૂપ થઈ શકે છે.

૨. રામાયણ માં આવતા પાત્રોમાથી તમને કયું પાત્ર ગમે છે?શા માટે ? 
 જવાબ- મને હનુમાનજીનું પાત્ર ગમે છે, કારણ કે તેઓ ખૂબ જ શક્તિશાળી હોવા છતાં વિનમ્ર અને રામભક્ત હતા.

૩. ખર્ચેલા પૈસા લેખે લાગે તેવું કયું કાર્ય કરશો ?  
જવાબ- ગરીબ બાળકોને ભણવા માટે પુસ્તકો અપાવવા અથવા કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી.

૪. આંબાવાડીમાં જઈને શું કરશો?: 
જવાબ- આંબાના ઝાડ પર ચઢવું, કાચી કેરી (ખાટી મીઠી) ખાવી અને પક્ષીઓનો કલરવ સાંભળવો.

૫. 'ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું': 
જવાબ- આ પંક્તિ શીખવે છે કે આપણે આપણું કામ પૂરી મહેનતથી કરવું જોઈએ, પરિણામની ચિંતામાં સમય બગાડવો જોઈએ નહીં.

પ્ર. 6 (અ) નીચે આપેલ પ્રશ્નોના બેથી ચાર વાક્યમાં જવાબ લખો:
(1) બાબુ વીજળીના પાત્રની વિશેષતાઓ લખો.
બાબુ વીજળી એ એક મિલનસાર અને રમુજી સ્વભાવનું પાત્ર છે. તે પોતાની વાતો અને વર્તનથી અન્યને હસાવવાની ક્ષમતા ધરાવે છે. તેની સાદગી અને નિખાલસતા તેને વાર્તામાં એક વિશિષ્ટ ઓળખ આપે છે.

(2) 'માંડી અમારી વાત...' પાઠના આધારે માંડવીના પાત્ર વિશે વિસ્તૃત નોંધ લખો.
માંડવીનું પાત્ર અત્યંત સહનશીલ અને માતૃત્વના ગુણોથી છલોછલ છે. તે પરિવારના સુખ-દુઃખમાં અડગ રહીને સૌની કાળજી લે છે. તેની સમજદારી અને ત્યાગની ભાવના આ પાઠમાં મુખ્ય રીતે ઉપસી આવે છે, જે સાબિત કરે છે કે તે એક મજબૂત અને પ્રેરણાદાયક સ્ત્રી પાત્ર છે.

(3) મહાભારતના ઓછાં જાણીતાં એવાં વિકર્ણના પાત્રની વિશેષતાઓ નોંધો.
વિકર્ણ કૌરવોમાંનો એક હોવા છતાં ન્યાયી અને સત્યવાદી પાત્ર છે. જ્યારે દ્રૌપદીનું અપમાન થયું, ત્યારે તેણે અધર્મ સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવી હતી. તે બુદ્ધિશાળી હતો અને હંમેશા નીતિના પક્ષે રહેવામાં માનતો હતો.

પ્ર. 6 (બ) અહીં આપેલ અધૂરી વાર્તા પૂર્ણ કરો.

જવાબ :-
વાર્તા આગળ આ રીતે વધારી શકાય:
           બંને ભાઈઓએ નક્કી કર્યું કે તેઓ માતા-પિતાની ગેરહાજરીમાં ગલુડિયાને છુપાવીને રાખશે.
તેઓએ તેને દૂધ અને રોટલી ખવડાવ્યા.સાંજે જ્યારે માતા-પિતા આવ્યા, ત્યારે ગલુડિયાના અવાજથી તેમને ખબર પડી ગઈ.પિતાએ પહેલાં તો ના પાડી, પણ બાળકોનો પ્રાણીપ્રેમ જોઈને ગલુડિયાને ઘરમાં રાખવાની મંજૂરી આપી. ગલુડિયું હવે પરિવારનો એક સભ્ય બની ગયું.

પ્ર. ૭ મૌખિક પ્રશ્નોત્તરી (ગમે તે એક)
૧. તમારે કોઇઇ ખેડૂતનો ઈન્ટરવ્યું લેવાનો થાય ત્યારે કેવા પ્રશ્નો પુછશો ?
જવાબ- ૧) તમે કયા કયા પાક ઉગાડો છો?
              ૨) ખેતીમાં તમને કઈ કઈ મુશ્કેલીઓ નડે છે?
              ૩) તમે સિંચાઈ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો?

૨. હોસ્ટેલના વ્યવસ્થાપકને પૂછવા લાયક પ્રશ્નો:
જવાબ :-  ૧) હોસ્ટેલમાં જમવાની અને રહેવાની વ્યવસ્થા કેવી છે?
                ૨) અભ્યાસ માટે વાંચનનો સમય શું નક્કી કરેલો છે?
                ૩) બીમાર પડવાના સંજોગોમાં ત્યાં શું સગવડ છે?

પ્ર. 8 આપેલ વાક્યોમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો.
(1) આ સમાચાર મને ગઈકાલે મળ્યા હતા / મળ્યો હતો.
સાચું વાક્ય: આ સમાચાર મને ગઈકાલે મળ્યા હતા.
(2) દસ લિટર / કિલો ચોખા લાવ્યા હતા.
સાચું વાક્ય: દસ કિલો ચોખા લાવ્યા હતા. (ચોખા કિલોગ્રામમાં મપાય છે).
(3) સત્ય અને અહિંસા એ મહાન ગુણ છે / ગુણો છે.
સાચું વાક્ય: સત્ય અને અહિંસા એ મહાન ગુણો છે.
(4) વાક્યમાં 'ર' અક્ષર ન આવતા હોય તેવું વાક્ય લખો.
જવાબ: તમે લલ્લુ છો. (અથવા: આ એક માળા છે.)
(5) બે શબ્દ એવા લખો કે જે આગળથી અને પાછળથી વાંચતા સરખું જ વંચાય.
જવાબ: નયન, કનક (અન્ય ઉદાહરણ: જહાજ, મલયાલમ).

પ્ર. 9 કોઈ પણ એક વિષય પર નિબંધ લખો.

મેં જોયેલી ફિલ્મ: 'તારા ઝમીન પર'
                તાજેતરમાં મેં 'તારા ઝમીન પર' નામની ફિલ્મ જોઈ, જેણે મારા મન પર ઊંડી છાપ છોડી છે. આ ફિલ્મ એક એવા બાળકની વાર્તા છે જે 'ડિસ્લેક્સિયા' નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેને અક્ષરો વાંચવામાં અને લખવામાં તકલીફ પડે છે. તેના માતા-પિતા તેની આ મુશ્કેલીને સમજી શકતા નથી અને તેને આળસુ ગણીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દે છે.
            ત્યાં તેની મુલાકાત એક કલાના શિક્ષક સાથે થાય છે. આ શિક્ષક બાળકની પ્રતિભાને ઓળખે છે અને પ્રેમ અને ધીરજથી તેને શીખવે છે. આ ફિલ્મ આપણને શીખવે છે કે દરેક બાળક ખાસ હોય છે અને તેની પોતાની અલગ શક્તિ હોય છે. ફિલ્મનું સંગીત અને અભિનય ખૂબ જ સુંદર છે.
             આ ફિલ્મ જોયા પછી મને સમજાયું કે આપણે ક્યારેય કોઈની સરખામણી બીજા સાથે ન કરવી જોઈએ. તે માત્ર મનોરંજન નથી, પણ સમાજ માટે એક મહત્વનો સંદેશ છે. આ ફિલ્મ મને ખૂબ જ ગમી અને તે હંમેશા મારી મનપસંદ રહેશે.

 જો હું રોબોટ હોઉં તો...
             વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ યુગમાં રોબોટ એક અદભૂત શોધ છે. જો હું એક રોબોટ હોઉં, તો મારું જીવન અત્યારના માનવ જીવન કરતા સાવ અલગ જ હોય. મારા શરીરમાં લોહીને બદલે વાયરો દોડતા હોય અને હૃદયને બદલે એક શક્તિશાળી પ્રોસેસર હોય.
              સૌ પ્રથમ, એક રોબોટ તરીકે મારી પાસે અદભૂત કાર્યક્ષમતા હોય. હું થાક્યા વગર ચોવીસે કલાક કામ કરી શકું. મારે ઊંઘવાની કે ખાવાની જરૂર ન પડે, બસ થોડી ઇલેક્ટ્રિસિટીથી હું ચાર્જ થઈ જાઉં. હું અઘરામાં અઘરા ગણિતના દાખલા પલકવારમાં ગણી નાખું અને દુનિયાભરની ભાષાઓ બોલી શકું.
            મારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મદદ કરવાનો હોય. હું ઘરકામમાં મમ્મીને મદદ કરું, બીમાર લોકોની સેવા કરું અને જોખમી જગ્યાઓ જેમ કે આગ લાગેલી ઈમારત કે ઊંડા સમુદ્રમાં જઈને લોકોના જીવ બચાવું. હું ક્યારેય કંટાળું નહીં કે ક્યારેય ગુસ્સે પણ ન થાઉં. હંમેશા ચહેરા પર એક સ્મિત સાથે દરેકની આજ્ઞાનું પાલન કરું.
              પરંતુ, રોબોટ બનવાના કેટલાક ગેરફાયદા પણ છે. મારી પાસે માણસો જેવી સંવેદનાઓ કે લાગણીઓ ન હોય. હું કોઈના દુઃખમાં રડી ન શકું કે કોઈની ખુશીમાં હસી ન શકું. હું માત્ર પ્રોગ્રામિંગ મુજબ કામ કરું, મારી પોતાની કોઈ ઈચ્છા ન હોય.
            નિષ્કર્ષમાં, જો હું રોબોટ હોઉં તો હું ટેક્નોલોજીનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે જ કરું. હું એક એવો આદર્શ રોબોટ બનવા માંગું જે દુનિયાને વધુ સારી અને સરળ બનાવવામાં મદદરૂપ થાય.


Thursday, 9 April 2026

ગુજરાતી નિબંધ

 

૧. મારું ગામ

           મારા ગામનું નામ અમરાપર  છે. મારું ગામ પ્રકૃતિના સુંદર અને શાંત વાતાવરણમાં વસેલું છે. ગામના પ્રવેશદ્વાર પર જ એક વિશાળ વડલો છે, જે વર્ષોથી ગામની રક્ષા કરતો હોય તેમ ઊભો છે. ગામની મધ્યમાં એક પવિત્ર મંદિર અને તેની બાજુમાં મોટું તળાવ આવેલું છે, જ્યાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. મારા ગામના લોકો ખૂબ જ માયાળુ, મહેનતુ અને હળીમળીને રહેનારા છે. અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, તેથી સવાર પડતા જ ખેતરોમાં હરિયાળી અને ચહલપહલ જોવા મળે છે.

         ગામમાં પંચાયત ભવન, પ્રાથમિક શાળા અને નાનું દવાખાનું જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. શહેરી કોલાહલથી દૂર મારા ગામમાં શુદ્ધ હવા અને શાંતિનો અનુભવ થાય છે. તહેવારોના સમયે આખું ગામ એક પરિવારની જેમ ઉત્સવ મનાવે છે. ગામડાનું જીવન સાદું છે પણ તેમાં જે મમતા અને સંસ્કાર છે તે અદ્વિતીય છે. મને મારા ગામની સંસ્કૃતિ અને તેની માટી પ્રત્યે ખૂબ જ ગર્વ છે. મારું ગામ ખરેખર એક આદર્શ અને પ્રેમાળ ગામ છે.

૨. ઉનાળાનો બપોર

          ભારતની ઋતુઓમાં ઉનાળો સૌથી આકરો હોય છે અને તેમાંય ઉનાળાનો બપોર એટલે ગરમીનો પ્રકોપ. સવારના દસ વાગ્યાથી જ સૂરજ દાદા આકાશમાંથી આગ ઓકવાનું શરૂ કરી દે છે. બપોર થતાં જ તાપમાન ચરમસીમાએ પહોંચે છે, જેના કારણે રસ્તાઓ સૂમસામ બની જાય છે. ગરમ પવન એટલે કે 'લૂ' ફૂંકાવા લાગે છે, જેનાથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. પશુ-પક્ષીઓ પણ આ આકરા તાપથી બચવા માટે ઘટાદાર વૃક્ષોની છાયામાં આશરો લે છે.

       બપોરના સમયે લોકો ઠંડા પીણાં, છાશ કે તરબૂચ જેવા ફળો ખાઈને ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. શહેરોમાં એસી અને પંખા સતત ચાલતા રહે છે, જ્યારે ગામડામાં ખેડૂતો ખેતરના શેઢે લીમડાના ઝાડ નીચે આરામ કરે છે. જોકે ઉનાળાનો બપોર અસહ્ય હોય છે, પણ બાળકો માટે તે વેકેશનની મજા અને કેરીની મિજબાનીનો સમય પણ છે. કુદરતનો આ એક એવો સમય છે જ્યારે સૃષ્ટિ થોડી ક્ષણો માટે થંભી ગઈ હોય તેવું લાગે છે.

૩. ઉત્તરાયણ

         ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી મોટો અને રોમાંચક તહેવાર છે, જે દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ ઉજવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર આનંદ, ઉમંગ અને રંગોનો ઉત્સવ છે. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ અગાસીઓ પર ચઢી જાય છે. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. ચારે બાજુ 'કાપ્યો છે', 'લપેટ' ના નારાઓ સંભળાય છે અને લાઉડસ્પીકર પર વાગતા ગીતો વાતાવરણને ઉત્સાહિત બનાવી દે છે.

     ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવાનો જ નહીં, પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો પણ તહેવાર છે. આ દિવસે તલના લાડુ, ચીકી, જલેબી અને ખાસ કરીને 'ઊંધિયું' ખાવાની પરંપરા છે. આ દિવસે ગાયોને ઘાસ નીરવાનું અને ગરીબોને દાન આપવાનું વિશેષ મહત્વ છે. રાત પડતાં જ આકાશમાં ઉડતા સફેદ તુક્કલ અને ફટાકડા દ્રશ્યને મનોહર બનાવે છે. ઉત્તરાયણ એ સૌને સાથે મળીને ખુશીઓ વહેંચવાનો સંદેશ આપતો તહેવાર છે.

૪. આદર્શ વિદ્યાર્થી

       વિદ્યાર્થી કાળ એ જીવનનો પાયો છે અને આ પાયાને મજબૂત બનાવનાર 'આદર્શ વિદ્યાર્થી' જ ગણાય છે. આદર્શ વિદ્યાર્થી એટલે માત્ર ભણવામાં હોશિયાર હોય તે નહીં, પણ જેનામાં ઉચ્ચ સંસ્કારો અને શિસ્ત હોય. તે હંમેશા સમયનો સદુપયોગ કરે છે અને પોતાનું દરેક કાર્ય નિયમિત રીતે પૂર્ણ કરે છે. તેનામાં વડીલો અને ગુરુજનો પ્રત્યે અત્યંત આદરભાવ હોય છે. તે શાળાના નિયમોનું પાલન કરે છે અને અભ્યાસની સાથે રમતગમત તથા અન્ય પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહથી ભાગ લે છે.

        આદર્શ વિદ્યાર્થીમાં જિજ્ઞાસા વૃત્તિ હોય છે, તે હંમેશા નવું નવું શીખવા માટે તૈયાર રહે છે. તેનામાં સત્ય બોલવાની હિંમત અને બીજાને મદદ કરવાની ભાવના હોય છે. તે ખરાબ આદતોથી દૂર રહે છે અને પોતાનું ચરિત્ર શુદ્ધ રાખે છે. આવા વિદ્યાર્થીઓ જ આવતીકાલના જવાબદાર નાગરિક બને છે અને દેશનું નામ રોશન કરે છે. વિનમ્રતા એ તેનું સૌથી મોટું ઘરેણું છે. ટૂંકમાં, જે વિદ્યાર્થી શીખવાની તત્પરતા અને જીવનમાં શિસ્ત લાવે છે, તે જ સાચા અર્થમાં આદર્શ વિદ્યાર્થી છે.

૫. સુભાષચંદ્ર બોઝ

          નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અજોડ અને તેજસ્વી ક્રાંતિકારી નેતા હતા. તેમનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ કટકમાં થયો હતો. તેઓ નાનપણથી જ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. તેમણે આઈ.સી.એસ. (ICS) જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરી હતી, પરંતુ દેશસેવા માટે તેમણે અંગ્રેજ સરકારની નોકરીનો ત્યાગ કર્યો હતો. નેતાજી માનતા હતા કે માત્ર અહિંસાથી આઝાદી નહીં મળે, તેના માટે સશસ્ત્ર ક્રાંતિની પણ જરૂર છે.

          તેમણે "આઝાદ હિંદ ફોજ" ની સ્થાપના કરી અને ભારતની બહાર રહીને અંગ્રેજો સામે યુદ્ધ છેડ્યું. તેમણે દેશવાસીઓને "તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા" અને "જય હિંદ" જેવા પ્રેરણાદાયક સૂત્રો આપ્યા હતા. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે લાખો યુવાનો દેશ માટે બલિદાન આપવા તૈયાર થઈ ગયા હતા. ભલે તેમનું મૃત્યુ એક રહસ્ય બની રહ્યું, પરંતુ તેમની દેશભક્તિ અને બલિદાન આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. તેઓ ખરેખર ભારત માતાના સાચા સપૂત અને મહાન રાષ્ટ્રનાયક હતા.

Wednesday, 8 April 2026

મળવા પાત્ર રજાઓ કોણ મંજુર કરી શકે



રજા / મોડ્યુલ ફ્લો (Leave / Module Flow)

ક્રમરજાનો પ્રકાર (Leave Type)હોદ્દોલેવલ-૧ (Level-1)લેવલ-૨ (Level-2)લેવલ-૩ (Level-3)
કેઝ્યુઅલ લીવ (Casual Leave)આ.શિક્ષકશાળાના આચાર્ય--
મરજિયાત રજા (Restricted Holiday)આ.શિક્ષકશાળાના આચાર્ય--
વળતર રજા (Compensatory Leave)આ.શિક્ષકશાળાના આચાર્ય--
કેઝ્યુઅલ લીવ (Casual Leave)મુ.શિક્ષકT.P.E.O--
મરજિયાત રજા (Restricted Holiday)મુ.શિક્ષકT.P.E.O--
વળતર રજા (Compensatory Leave)મુ.શિક્ષકT.P.E.O--
હેડ ક્વાર્ટર છોડવાની મંજૂરીઆ.શિક્ષકT.P.E.O--
મુખ્ય મથક છોડવાની મંજૂરી (કલાકોમાં)આ.શિક્ષકT.P.E.O--
પ્રસૂતિ રજા (Maternity Leave)આ.શિક્ષકT.P.E.O--
૧૦કસુવાવડ રજા (Miscarriage/Abortion)આ.શિક્ષકT.P.E.O--
૧૧પિતૃત્વ રજા (Paternity Leave)આ.શિક્ષકT.P.E.O--
૧૨ફરજ પર (On Duty)આ.શિક્ષકT.P.E.O--
૧૩ક્ષય/કેન્સર/રક્તપિત્ત રજાઆ.શિક્ષકનિયામક--
૧૪અર્ધ પગારી અભ્યાસ રજા
(HPL Study Leave)
આ.શિક્ષકT.P.E.OD.P.E.O-
૧૫હક રજા (Earned Leave)આ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૬અર્ધ પગારી રજા (HPL)આ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૭કુટુંબના સભ્યની માંદગી માટે રૂપાંતરિત રજાઆ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૮પોતાની માંદગી માટે રૂપાંતરિત રજાઆ.શિક્ષકT.P.E.OD.P.E.Oનિયામક 
૧૯L.T.C (વતન પ્રવાસ ભથ્થું)આ.શિક્ષક/મુ.શિ.T.P.E.O--
૨૦પાસપોર્ટ માટેનું અનાપત્તિ પ્રમાણપત્ર (NOC)આ.શિક્ષક/મુ.શિ.D.P.E.O--
૨૧વિદેશ પ્રવાસ માટેનું અનાપત્તિ પ્રમાણપત્ર (NOC)આ.શિક્ષક/મુ.શિ.D.P.E.O--
 

લિવિંગ સર્ટિફિકેટ નો નમૂનો