Monday 8 July 2024

ફકરા પરથી પ્રશ્ન જવાબ

1)

શંકર અને ઉમિયાને બે દીકરા હતા. એકનું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ. બે ભાઈમાં ગણેશ દુંદાળા હતા. નાના નાના પગ અને મોટું મોટું માથું. કાર્તિકેય તો હરણની ફાળે દોડે, પણ ગણેશ એટલું દોડી શકે નહીં. ગણેશનું પેટ પટારા જેવુ જેના કારણે દોડવાનું કે કુદવાનું આવે તો તેમણે ના ફાવે. પણ ગણેશ બહુ બુધ્ધિશાળી હતા.

પ્રશ્ન : ૧ શંકર અને ઉમિયાને કેટલા દીકરા હતા?

જવાબ:-

પ્રશ્ન : ૨ શંકર અને ઉમિયાના બંને દીકરાના નામ શું હતા?

જવાબ:-

પ્રશ્ન : ૩ ગણેશ કેવા હતા?

જવાબ:-

પ્રશ્ન : ૪ ગણેશના પગ અને માથું કેવા હતા ?

જવાબ:-

પ્રશ્ન : ૫ ગણેશનું પેટ શેના જેવુ હતું ?

જવાબ:-

No comments:

Post a Comment