Monday, 10 November 2025

ગુજરાતી વાંચન ,લેખન માટેના ફકરા -૬

 


ફકરો ૧૬: પ્રમાણિકતા 

        પ્રમાણિકતા એ સૌથી સારો ગુણ છે. પ્રમાણિક વ્યક્તિ ક્યારેય ખોટું બોલતી નથી. બધા લોકો પ્રમાણિક માણસ પર વિશ્વાસ મૂકે છે. પ્રમાણિકતાથી જીવનમાં હંમેશા શાંતિ રહે છે. આપણે હંમેશા પ્રમાણિક રહેવું જોઈએ.

ફકરો ૧૭: આપણું ઘર 

          ઘર એ સૌથી સુરક્ષિત જગ્યા છે. ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. ઘરમાં આપણે આપણા પરિવાર સાથે રહીએ છીએ. ઘરની સફાઈ રાખવી એ આપણી ફરજ છે. ઘર આપણને આરામ આપે છે.

ફકરો ૧૮: સ્વચ્છતાનું મહત્વ

           સ્વચ્છતા એટલે ચોખ્ખાઈ. સ્વચ્છતા રાખવાથી આપણે બીમારીઓથી દૂર રહીએ છીએ. શરીર, કપડાં અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ. ગંદકીથી રોગચાળો ફેલાય છે. સ્વચ્છતા આરોગ્યની ચાવી છે.

No comments:

Post a Comment